Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

દિવાનપરામાં બિમારીની વધુ પડતી દવા પી જતાં આશાબેન સોનીનું મોત

આવતા મહિને બે દિકરીના લગ્ન છેઃ મુળ રાજસ્થાનના પરિવારની ખુશી શોકમાં પરિણમી

રાજકોટ તા. ૨૪: દિવાન પરા વિશ્વકર્મા મંદિર પાસે રહેતાં મુળ રાજસ્થાનના આશાબેન શિવશંકર સોની (ઉ.૩૯)એ માનસિક બિમારીની વધુ પડતી દવા પી લેતાં મોત નિપજ્યું છે. કરૂણતા એ છે કે આ મહિલાની બે દિકરીઓના આવતા મહિને લગ્ન લેવાયા છે. ત્યારે જ આ બનાવ બનતાં પરિવારજનોની ખુશી માતમમાં પરિણમી છે.

આશાબેને રાત્રે દવા પી લેતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. એ-ડિવીઝનના પી.એસ.આઇ. વી.એમ. ડોડીયાએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતકના પતિ શિવશંકરભાઇ સોની કામ કરે છે. સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે. જેમાંથી બે દિકરીના આવતા મહિને લગ્ન લેવાયા છે. માનસિક બિમારીની દવા ચાલુ હોઇ તે વધુ પડતી પી લીધાનું તેના પરિવારજનોએ પોલીસને જણાવ્યું હતું. (૧૪.૫)

(3:59 pm IST)