Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

કલાવૃંદ ગુજરાત અને શકિત ટ્રસ્ટ દ્વારા કલાકારો તથા કોરોના યોધ્ધાઓનું સન્માન

રાજકોટ : કલાવૃંદ ગુજરાત થા શકિત એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ શાપર વેરાવળના સંયુકત ઉપક્રમે તાજેતરમાં કલાકારો અને કોરોના યોધ્ધાઓને સન્માનવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સર્વશ્રી રાજ દવે, કિશોરસિંહ જેઠવા, મન્સુર ત્રિવેદી, પિયુષ ઉપરાણીયા, જીતેન્દ્ર ભટ્ટ, ધર્મેશ કુંડલીયા, ભરત આડેસરા, જીજ્ઞાબેન ગજજ, મુમતાજબેન મુલ્લા, હિતેષ ઢાંકેચા, જય દવે, ભાર્ગવ ચાંગેલા, રવિ વ્યાસ, પંકજ શેઠ, જાણીતા બિલ્ડર અને કલાકાર ચંદ્રકાન્તભાઇ શેઠ, મ્યુઝીક કમ્પોઝર લલિતભાઇ ત્રિવેદી, મુન્નાખાન પઢા સહીતના કલાકારોનું સન્માન કરાયુ હુત. જાણીતા એન્કર સ્વ. બીપીનભાઇ વસાણી, સ્વ. નટુભાઇ રાઠોડ, સ્વ. કાશ્મીરાબેન ગંગદેવ, સ્વ. પુરણભાઇ જોબનપુત્રાનું મરણોત્તર સન્માન કરવામાં આવેલ. દરમિયાન કોરોના લોકડાઉનમાં જીવના જોખમે સેવા આપનાર કોરોના યોધ્ધા એવા ભાભા હોટલના રાજભાઇ મહેતા, મિલન ભટ્ટ, વિશાલ ઘાવરી, કલાપી ભગત, એડવોકેટ અતુલભાઇ સંઘવી, ડો. કિરીટસિંહ ઝાલા, નિલેષભાઇ દોશી, કૈલાશબેન ધાકેચા, રેખાબેન રાઠોડ, નિશાબેન રાયચુરા, પારૂલબેન રામાણી, મેહુલ રાઇચુરા, યોગેશ ગોૌસ્વામી, કેપ્ટન જયદેવ જોશીનું સરગમ કલબના પ્રમુખ ગુણુભાઇ ડેલાવાળા, જાણીતા ડો. અમિતભાઇ હપાણી, કલાકવૃંદના હિરેનભાઇ જોશી, જયપાલસિંહ ઝાલા, ડો. અજયભાઇ મહેતા, નિલેષભાઇ દોશીના હસ્તે સન્માન કરાયુ હતુ. દરમિયાન કાર્યક્રમમાં વિશેષ સન્માન ગુણુભાઇ ડેલાવાળા અને ડો. અમિતભાઇ હપાણી, હિરેનભાઇ જોશી, જયપાલસિંહ ઝાલાનું કરાયુ હતુ. સમગ્ર સંચાલન અજય (રાજ) દવે અને કિશોરસિંહ જેઠવાએ કરેલ.

(3:55 pm IST)