Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

સાંજે મૂખ્યમંત્રી રાજકોટમાં આચાર સંહિતા અમલમાં હોય કલેકટર-એડી.કલેકટર નહિ જાય કાલે આચારસંહિતા પૂરી થશે

રાજકોટ તા. ર૪ : રાજકોટમાં ભાજપને ૭રમાંથી ૬૮ બેઠકો મળી છે. આ જવલંત વિજયનો જબરો અભિવાદન સમારોહ આજે સાંજે રેસકોર્સ બહુમાળી ભવન ચોક ખાતે યોજાયો છે. જેમાં હાજરી આપવા રાજયના મુખ્યમંત્રી વિજભાઇ રૂપાણી રાજકોટ આવી રહ્યા છે, મુખ્યમંત્રી રાજકોટ એરપોર્ટ પર સાંજે ૬-૧પ કલાકે આવી પહોંચશે. સાંજે ૬-૩૦ કલાકે બહુમાળી ચોક પહોંચી કાર્યક્રમમાં હાજરી આપશે અને સાંજે ૭-૩૦ કલાકે તેઓ એરપોર્ટ જવા રવાના થશે, અને ૭-૪પ વાગ્યે તેમની ફલાઇટ ઉપડી જશે.

આચરસંહિતા હજુ આવતીકાલ સુધી અમલમાં છે. કાલે પુરી થશે જે સંર્દભે કલેકટર, એડી.કલેકટર હજુ મુખ્યમંત્રી સમારોહમાંં નહિ જાય પરંતુ પ્રોટોકોલ સર્દભે સીટી પ્રાંત-૧ શ્રી સિદ્ધાર્થ ગઢવી રાજકોટ એરપોર્ટ પર હાજરી આપશે.

(2:36 pm IST)