Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

કાલે વિશ્વકર્મા જયંતિ : લુહાર વિદ્યાર્થી ભુવનમાં પૂજા - અર્ચના

રાજકોટ તા. ૨૪ : સૃષ્ટિના સર્જનહાર ગણાતા દાદા વિશ્વકર્મા પ્રભુજીની કાલે જન્મ જયંતિ છે. લુહાર, સુતાર, કડીયા, કુંભાર સહીતના કલાકારીગરી વર્ગના અધિષ્ઠાતા મનતા દેવને વંદના કરાશે.

સૌરાષ્ટ્ર સમસ્ત લુહાર જ્ઞાતિ પ્રગતિ મંડળ દ્વારા કાલે તા. ૨૫ ના ગુરૂવારે સવારે ૮ વાગ્યે રાષ્ટ્રીય શાળા સામે આવેલ લુહાર વિદ્યાર્થી ભવન ખાતેના વિશ્વકર્માજીના મંદિરમાં પૂજા અર્ચર્ના કરાશે.

કાલે રાજકોટ સહીત સૌરાષ્ટ્રભરમાં વિશ્વકર્મા જયંતિની ઉજવણી થશે. ધર્મપ્રેમીજનોએ દર્શનનો લાભ લેવા કમીટી દ્વારા અનુરોધ કરાયો છે.

(11:54 am IST)