Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

સદ્દગુરૂ આશ્રમ ખાતે મહાશિવરાત્રીએ સમૂહ પૂજા

 પૂ. રણછોડદાસજીબાપુ આશ્રમમાં આવેલ શ્રી મંગલેશ્વર મહાદેવના સાનિધ્યમાં સદ્દગુરૂ સદ્દન ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રી નિમિતે સમૂહ પૂજન કરવામાં આવ્યુ હતુ. મુખ્ય યજમાન તરીકે જીતુભાઇ ગણાત્રા પરિવારના સ્મિત ગણાત્રા અને શ્રીમતી બંસીબેન ગણાત્રાએ લાભ લીધો હતો. મંગલેશ્વર મહાદેવની ચાર પ્રહરની પૂજા કરવામાં આવી હતી. ૨૧ શાસ્ત્રીઓ દ્વારા સદ્દગુરૂ શ્રી રણછોડદાસજી બાપુની સમક્ષ નીજ મંદિર હોલમાં ઁ નમં શિવાય મહામંત્રનો જપયજ્ઞ કરવામાં આવ્યો હતો. ગુરૂ મઢીમાં સાધુ સંતોએ શ્રી રામચરિત માનસજીના અખંડ પાઠ કર્યા હતા. સર્વ ધર્મપ્રેમીજનોને ભાંગની પ્રસાદીનું વિતરણ કરવામાં આવેલ. બપોરે શીખંડ, સુકી ભાજીનો ફરાળી મહાપ્રસાદ પીરસાયો હતો.

(4:00 pm IST)