Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

સેન્ટીંગ કામ કરતી વખતે વીજ કરંટ લાગતા ખીમજીભાઇનું મોત

અજમેરા સોસાયટીમાં બનાવ : લોખંડનો સળીયો વીજતારમાં અડી જતા શોટ લાગ્યો

રાજકોટ, તા. ર૩ :  અજમેરા સોસાયટીમાં બીજા સર્કલ પાસે સેન્ટીંગ કામ કરતી વખતે વીજકરંટ લાગતા આધેડનું મોત નિપજયું હતું.

મળતી વિગત મુજબ નાના મવા સર્કલ પાસે આર.એમ.સી. કવાર્ટર નં. ૧૪માં રહેતા ખીમજીભાઇ હમીરભાઇ વરણ (ઉ.વ.પ૦) બપોરે અજમેરા સોસાયટીમાં બીજા સર્કલ પાસે બ્લોક નં. ઇ-૯૮માં સેન્ટીંગ કામ કરતા હતા ત્યારે લોખંડનો સળીયો તારને અડી જતા વીજ કરંટ લાગતા બેભાન થઇ જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. મૃતક ખીમજીભાઇ બે ભાઇ એક બહેનમાં મોટા હતા. તેને સંતાનમાં બે પુત્ર એક પુત્રી છે. આ અંગે તાલુકા પોલીસે કાર્યવાહી કરી હતી.

(3:51 pm IST)