Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

પત્રકારત્વ ક્ષેત્રે પ્રતિષ્ઠિત સ્વ.ગુણવંતભાઈ ગણાત્રા અકિલા સુવર્ણ ચંદ્રક વિજેતા બળવંતસિંહ જાડેજાનું બહુમાન

રાજકોટ : છેલ્લા એક દાયકાથી પત્રકારત્વ અભ્યાસમાં શ્રેષ્ઠતા પૂરવાર કરનાર તેજસ્વી વિદ્યાર્થીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પ્રતિષ્ઠિત સ્વ.શ્રી ગુણવંતભાઈ લાલજીભાઈ ગણાત્રા અકિલા જય સૌરાષ્ટ્ર પ્રેસ રાજકોટ સુવર્ણ ચંદ્રક એનાયત કરવામાં આવે છે. ૨૦૧૯-૨૦ના શૈક્ષણિક વર્ષમાં માસ્ટર ઓફ જર્નાલીઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનના કોર્ષમાં ૬૮% મેળવનાર તેજસ્વી વિદ્યાર્થી જાડેજા બળવંતસિંહ નટુભાને પ્રતિષ્ઠિત સ્વ.શ્રી ગુણવંતભાઈ લાલજીભાઈ ગણાત્રા અકિલા - જય સૌરાષ્ટ્ર પ્રેસ સુવર્ણ ચંદ્રક આજે કુલપતિ ડો.નીતિનભાઈ પેથાણીની ઉપસ્થિતિમાં સુવર્ણ ચંદ્રક તેમજ પ્રમાણપત્ર આપી બહુમાન કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે કાર્યકારી પરીક્ષા નિયામક શ્રી નિલેશભાઈ સોની ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મુળ કચ્છના વતની બળવંતસિંહ નટુભા જાડેજા પત્રકારત્વ અભ્યાસક્રમમાં તેજસ્વીતા સિદ્ધ કરી હવે યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે.

(3:44 pm IST)