Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

કાલે ધનસુખ ભંડેરીનો વેબીનાર

૨૫મીએ બાજપાઇજીની જન્મજયંતિ સુશાસન દિવસ અંતર્ગત

રાજકોટઃ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડની એક સંયુકત અખબારી યાદીમાં જણાવાયું છે કે તા. ૨૫ ડિસેમ્બરના રોજ ભારતરત્ન અને દેશના પુર્વ વડાપ્રધાન સ્વ. અટલબીહારી બાજપાયીજી ની જન્મજયંતી અંતર્ગત શહેર ભાજપ દ્વારા વિવિધ સેવાકીય કાર્યો થકી 'સુશાસન દિવસ' ની ઉજવણી કરવામાં આવનાર છે.

જે અંતર્ગત આવતીકાલે તા.૨૪ના ગુરૂવારના સાંજે ૫ કલાકે ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી દ્વારા વેબીનાર યોજાશે, જેમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્રની ભાજપ સરકાર તેમજ રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વવાળી રાજયની ભાજપ સરકારની વિવિધ લોકકલ્યાણલક્ષી અને જનહીતલક્ષી યોજનાઓ વિશે તેમજ શ્રધ્ધેય અટલ બીહારી બાજપાઈજીના જીવનકવન વિશે વિષદ માર્ગદર્શન પુરૂ પડાશે. આ વેબીનારમાં શહેર ભાજપના અપેક્ષીત શ્રેણીના કાર્યકર્તાઓ જોડાશે.

(3:43 pm IST)