Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

શહેર ભાજપ દ્વારા શુક્રવારે અટલજીના જન્મદિન નિમિત્તે વિવિધ સેવાકાર્યોથી સુશાસન દિન ઉજવાશે

રાજકોટ તા. ર૩: શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડની સંયુકત યાદીમાં જણાવ્યા મુજબ તા.રપ ના ભારતરત્ન અને દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલબીહારી બાજપાયીજીની જન્મજયંતી ઉજવણી અંતર્ગત શહેર ભાજપ દ્વારા સુશાસન દિવસની ઉજવણી કરાશે.

 'સુશાસન દિવસ' ને વિવિધ સેવાકીય કાર્યોથી સાર્થક કરવા શહેર ભાજપના વિવિધ મોરચાઓ દ્વારા સેવાકીય કાર્યોનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં તા.રપ ના સવારે ૧૦-૩૦ કલાકે શહેર ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ હારૂનભાઇ શાહમદાર, મહામંત્રી યાકુબ પઠાણ, વાહીદ સમાની આગેવાનીમાં ગુંદાવાડી સ્થિત પદમકુંવરબા હોસ્પિટલ ખાતે દર્દીઓને ફ્રુટ વિતરણ કરવામાં આવશે.

સવારે ૧૧ કલાકે અનુ.જાતી મોરચાના પ્રભારી મહેશ રાઠોડ, પ્રમુખ ડી.બી.ખીમસુરીયા, મહામંત્રી નાનજીભાઇ પારઘી, પ્રવીણ ચૌહાણની આગેવાનીમાં સીવીલ હોસ્પિટલ ખાતે દર્દીઓને ફ્રુટ વિતરણ કરવામાં આવશે.

બપોરે ૧ર કલાકે શહેર ભાજપ યુવા મોરચા પ્રમુખ પ્રદીપ ડવ, મહામંત્રી પૃથ્વીસિંહ વાળા, પરેશ પીપળીયાની આગેવાનીમાં રમણીક કુંવરબા વૃદ્ધાશ્રમ, ગોંડલ રોડ ખાતે વડીલોને ભોજન કરાવવામાં આવશે.

શહેર ભાજપ મહીલા મહીલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, પ્રમુખ નયનાબેન પેઢડીયા, મહામંત્રી પુનીતાબેન પારેખ, કીરણબેન માંકડીયાની આગેવાનીમાં માનસીક ક્ષતીવાળા બહેનોને નાસ્તા વિતરણ કરવામાં આવશે. તેમજ સાંજે ૬ કલાકે શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ નિલેશ જલુ, મહામંત્રી સોમભાઇ ભાલીયા, લલીત વાડોલીયાની આગેવાનીમાં બક્ષીપંચ મોરચા દ્વારા કાલાવડ રોડ પાણીના ટાંકા સામે માનસીક ક્ષતીવાળા બાળકોને  ભોજન કરાવવામાં આવશે. આ સેવાકીય કાર્યક્રમોમાં વિવિધ મોરચાના કાર્યકર્તાઓને જોડાવવા અંજલીબેન રૂપાણી, નયનાબેન પેઢડીયા, પ્રદીપ ડવ, નિલેશ જલુ, હારૂનભાઇ શાહમદાર, મહેશ રાઠોડ, ડી.બી.ખીમસુરીયાએ અનુરોધ કરેલ છે.

(3:42 pm IST)