Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

ક્રાઇમ બ્રાંચના પીએઅસાઇ વનરાજસિંહ. જે. જાડેજા અને ટીમે ૧૦૦થી વધુ જરૂરિયાતમંદોને ધાબળા ઓઢાડ્યા

રાજકોટઃ ઠંડીમાં સતત વધારો થઇ રહ્યો હોઇ રાજકોટ શહેરની ફૂટપાથ પર કે જાહેરમાં કોઇપણ જગ્યાએ સુઇ રહેતાં લોકોને હાડ થીજાવતી ઠંડીમાં રક્ષણ મળે તે માટે શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ અને એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા તથા પીઆઇ વી. કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ વી.જે. જાડેજા અને ટીમે ૧૦૦થી વધુ જરૂરિયાતમંદોને ધાબળા ઓઢાળી માનવતાનું અને સેવાનું કામ કર્યુ હતું.

(3:05 pm IST)