Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

શુક્રવારે નાતાલઃ ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરે, ધ્યાનોત્સવ,૫૦ મીણબતી સાથે પ્રાર્થના ધ્યાન, સંધ્યા ધ્યાન, સન્યાસ ઉત્સવ

માસ્ક, હેન્ડ સેનીટાઇજેશન, સ્પેશ્યલ ડીસ્ટનશન સાથે કાર્યક્રમનું આયોજન : હરીયાણાના ડો.માં પ્રેમમાધુરીના સાનિધ્યમાં શુક્રવારે નાતાલ નિમિતે યોેજેલ ૧ દિવસીય ઓશો ધ્યાન શીબીર કોરોના સંક્રમણની પરિસ્થિતિને અનુલક્ષીને સરકારી ગાઇડ લાઇન મુજબ કેન્સલ કરેલ છે

રાજકોટઃ ઓશોના સુત્ર ઉત્સવ આમાર જાતી આનંદ આમાર ગૌત્રને સાર્થક કરતા વિવિધ કાર્યક્રમો જેવા કે ઓશો ધ્યાન શીબીર ઓશો સાહિત્ય પ્રદર્શનો, ઓશો સન્યાસ ઉત્સવ ભજન કીર્તન, વિવિધ સંપ્રદાયોના ઉત્સવો, વિશ્વ દિવસ વગેરે રાજકોટમાં ૨૪ કલાક ઓશો કાર્યથી ધમધમતુ વિશ્વનું એક માત્ર ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર પર નિયમીત છેલ્લા ૩૫ વર્ષથી અવાર નવાર ઉત્સવો યોજવામાં આવે છે.

તા.૨૫ને શુક્રવારે નાતાલ નિમીતે હરસાલની માફક ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરે સાંજના ૬:૪૫ થી ૭:૪૫ દરમિયાન ૫૦ મીણબતી સાથેનું પ્રાર્થના ધ્યાન, સંધ્યા ધ્યાન, આયોજન કરવામાં આવેલ છે. માસ્ક તેમજ સેનેટાઇઝર ફરજીયાત રહેશે.

કાર્યક્રમ સરનામુઃ

ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ વિવેકાનંદ ઓવરબ્રીજની બાજુમાં  ૪-વૈદ્યવાડી 'ડી'  માર્ટની પાછળની શેરી રાજકોટ

વિશેષ માહિતી માટેઃ

સ્વામી સત્યપ્રકાશ ૯૪૨૭૨ ૫૪૨૭૬

સંજીવ રાઠોડ

૯૮૨૪૮ ૮૬૦૭૦

(3:02 pm IST)