Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

વેકસીન સર્વેમાં અનેક વિસ્તારો બાકી રહી ગયા

જામનગર રોડ વિસ્તારની સોસાયટીઓમાં સર્વે નહીં થયાની ફરીયાદો

રાજકોટ, તા. ર૩ :  કોરોનાં વેકસીન માટે મ.ન.પા. દ્વારા શહેરભરમાં પ૦ વર્ષથી વધુ વયના વ્યકિતઓનો સર્વે પૂર્ણ થઇ ગયો ત્યારે હજુ અનેક વિસ્તારોમાં સર્વે નહીં થયાની ફરીયાદો ઉઠી છે.

ખાસ કરીને શહેરનાં જામનગર રોડ પર આવેલ ગાયત્રીધામ સોસાયટી ત્થા આસપાસનાં વિસ્તારોમાં વેકસીન માટેનો સર્વે નહીં થયાનું વિસ્તારના જાગૃત નાગરિક જીતુભાઇ ગાંગડીયાએ જણાવેલ.

આજ પ્રકારે જંકશન પ્લોટ, ગાયકવાડી, ફરસાણાનગર સહિતનાં વિસ્તારોમાં પણ વેકસીન અંગેનો સર્વે માટે કોઇ નહીં આવ્યાની ફરીયાદો ઉઠી છે.

ત્યારે તંત્રએ સર્વે પૂર્ણ થઇ ગયાનું જાહેર કરી દીધું છે. હવે આ વિસ્તારમાં જે પ૦ વર્ષથી વધુની ઉંમરના વડીલો છે. તેને વેકસીન અંગે શું કરવુ઼ ? તેવા સવાલો નાગરિકોમાં ઉઠવા પામ્યા છે.

(2:58 pm IST)