Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

જામનગર રોડના સ્લમ કવાર્ટરમાં રહેતાં ભગવાનજીભાઇનું બેભાન હાલતમાં મોત

રાજકોટ તા. ૨૩: જામનગર રોડ સ્લમ કવાર્ટર પાસે લાખાબાપાની વાડી શેરી નં. ૪માં રહેતાં મ્યુ. કોર્પોરેશનના નિવૃત સફાઇ કામદાર ભગવાનજીભાઇ મેરામભાઇ મકવાણા (ઉ.વ.૫૭) સાંજે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃતક ચાર ભાઇ અને પાંચ બહેનમાં નાના હતાં. સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે.

થોરાળાના હકાભાઇએ પણ બેભાન હાલતમાં દમ તોડ્યો

બીજા બનાવમાં નવા થોરાળા-૧૪માં રહેતાં હકાભાઇ વશરામભાઇ પરમાર (ઉ.વ.૩૦) રાતે ઘરે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયેલ. પરંતુ દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર અને થોરાળા પોલીસને જાણ કરી હતી.

(12:41 pm IST)