Gujarati News

Gujarati News

News of Monday, 23rd December 2019

રપમીએ રાજકોટમાં ૧ લાખ ખેડૂતોનું કૃષિ સંમેલન

આર.સી. ફળદુ-કુંવરજીભાઇની ઉપસ્થિતિઃ પાંચ જીલ્લાના ખેડુતોને સહાય અંગે દાવા પ્રમાણપત્ર અપાશે

રાજકોટ તા. ર૩: બુધવારે રપ ડીસેમ્બરે રાજકોટના તરઘડીયા કૃષિ સંશોધન કેન્દ્ર ખાતે ૧ લાખ ખેડૂતોનું કૃષિ સંમેલન યોજાઇ રહ્યું છે, જેમાં મીનીસ્ટરો શ્રી આર. સી. ફળદુ, કુંવરજીભાઇ બાવળીયા તથા અન્યો ખાસ હાજરી આપશે.

કમોસમી વરસાદ-માવઠાથી થયેલ નુકશાન સંદર્ભે રાજકોટ-જામનગર-જુનાગઢ-સુરેન્દ્રનગર-દ્વારકા જીલ્લાના ૧ લાખ ખેડૂતોએ સહાય અંગે અરજી કરી હતી, સરકારે નાના અને સિમાંત ખેડૂતો માટે ૬ હજાર અને ૧ર હજારની (હેકટર દીઠ) સહાય જાહેર કરી છે, આ અરજી કરનાર ખેડૂતોને દાવા અંગેના પ્રમાણપત્ર અપાશે.

આ સંદર્ભે આજે મામલતદારો-પ્રાંત અધીકારીઓની ઇન્ચાર્જ કલેકટર શ્રી રાણાવાસીયાએ મીટીંગ યોજી હતી અને જરૂરી સુચનાઓ આપી હતી.

(3:54 pm IST)