Gujarati News

Gujarati News

News of Monday, 23rd December 2019

ગીતા જ્ઞાન યજ્ઞનો લાભ લઇ વૈષ્ણવાચાર્યના આશીર્વાદ મેળવતા ભાજપ અગ્રણીઓ

રાજકોટ : દાસીજીવણ  સત્સંગ મંડળ અને વૈષ્ણવ સંઘ દ્વારા રેસકોર્ષ મેદાન ખાતે યોજાયેલ ભગવદ્દ ગીતા ઉપદેશ જ્ઞાનયજ્ઞમાં શહેર ભાજપ અગ્રણીઓ સર્વશ્રી ધનસુખભાઇ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય અરવિંદ રૈયાણી વગેરેએ કથા શ્રવણનો લાભ લઇ વકતા વૈષ્ણવાચાર્ય શ્રી દ્વારકેશલાલજી મહોદયના આશીર્વાદ મેળવ્યા હતા. આવા સફળ આયોજન બદલ પોરબંદરના સાંસદ રમેશભાઇ ધડુકનું શાલ ઓઢાડી સન્માન કર્યુ હતુ. આ તકે શહેર ભાજપ મંત્રી વિક્રમ પુજારા, મહેશ રાઠોડ, શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઇ પારેખ, શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઇ જોષી, નરેન્દ્રસિંહ ઠાકુર, નીતિન ભુત, માધવ દવે, જીજ્ઞેશ જોષી, કશ્યપ શુકલ, અજય પરમાર, બાબુભાઇ આહીર, મનીષ રાડીયા, જયમીન ઠાકુર, અનિલ રાઠોડ, મુકેશ રાદડીયા, નીતિન રામાણી, અશ્વિન ભોરણીયા, ગુણુભાઇ ડેલાવાળા, જયંતભાઇ ઠાકર, ડી. બી. ખીમસુરીયા, હારૂનભાઇ શાહમદાર, અશ્વિન પાંભર સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:52 pm IST)