Gujarati News

Gujarati News

News of Monday, 23rd December 2019

ખંજવાળ અને વાઇની બિમારીથી કંટાળી પ્રકાશનાથ નેપાળીનો બેટીના પુલ નીચે પડતું મુકી આપઘાત

રાજકોટ તા. ૨૩:     રવિવારે કુવાડવા નજીક બેટીના પુલ નીચે નદીમાંથી એક યુવાનની લાશ મળી આવી હતી. બનાવની જાણ થતાં કુવાડવાના હેડકોન્સ. મહાવીરસિંહ અને જયંતિભાઇએ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી. મૃતક પાસેથી મળેલા મોબાઇલ ફોનને આધારે તપાસ થતાં આ યુવાન મુળ નેપાળનો પ્રકાશનાથ ચંદ્રનાથ યોગી (ઉ.૩૨) હોવાનું ખુલ્યું હતું. તે બામણબોર પાસેના બંસલ પેટ્રોલ પંપમાં નોકરી કરતાં કાકાને ત્યાં આવ્યો  હતો. વાઇ અને ખંજવાળની બિમારી હોઇ તેનાથી કંટાળીને પુલ પરથી પડતું મુકી દીધાનું ખુલ્યું હતું. તસ્વીર બામણબોરથી બાબુલાલ ડાભીએ મોકલી હતી.

(11:51 am IST)