Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

રાજકોટ રોયલપાર્ક ઉપાશ્રય બીરાજમાન

ગોંડલ સંપ્રદાયના સાધ્વીરત્ના પૂ.પ્રભાબાઈ મ.સ (પૂ.પ્રભુજી) કાળધર્મ પામ્યાં : કોરોનાની સારવાર કારગત ન નીવડી

પૂ.શ્રીની ઉંમર ૮૧ વર્ષ અને સંયમ પર્યાય ૫૫ વર્ષનો હતો

રાજકોટ,તા.૨૩: રોયલ પાર્ક ,સી.એમ.શેઠ પૌષધશાળામાં ચાતુર્માસ બીરાજમાન ગમે ગોંડલ સંપ્રદાયના પ્રાણ પરિવારના સાધ્વી રત્ના સેવાભાવી પૂ.પ્રભાબાઈ મ.સ.તા.૨૨ ના બપોરે ૩:૦૫ કલાકે નમસ્કાર મહા મંત્રના સ્મરણ સાથે કાળધર્મ પામેલ છે.

સૌરાષ્ટ્રના સાવરકુંડલાની પાવન ભૂમિ ઉપર ધર્મ પરાયણ પિતા રૂગનાથભાઈ અને રત્નકુક્ષિણી માતુશ્રી શિવકુંવરબેન તેજાણીની કૂખે વિ.સં.૨૦૦૮,શ્રાવણ વદ પાંચમ ઈ.સ.૧૯૩૯ માં એક હળુ કર્મી આત્માનું અવતરણ થયેલ.પરિવારજનો દ્વારા 'પ્રભા' નામનું નામ આપવામાં આવ્યું. ચાર ભાઈઓ અને ચાર બહેનોના વિશાળ પરિવારમાં તેઓનો ઉછેર થયેલ. તેજાણી પરિવાર એટલે ધર્મના રંગે રંગાયેલો પરિવાર.દેવ,ગુરૂ અને ધર્મ પ્રત્યે સમર્પિત પરિવાર.સાધુ - સાધ્વીજીની સેવા માટે તેજાણી પરિવાર ખડે પગે હાજર હોય.

સાવરકુંડલામાં વયોવૃદ્ઘ પૂ.દેવકુંવરબાઈ મ.સ.,પૂ.ફૂલામ્ર ગુરુણી આદિ સંત - સતિજીઓનું વારંવાર આવાગમન રહેતું. પ્રભાબેન ખૂબ જ નાની વયે સામાયિક કંઠસ્થ કરી લીધેલ.એક વખત પૂ.પ્રાણગુરુનું સાવરકુંડલા ઉપાશ્રયમાં 'સંસાર અસાર છે ' એ વિષય ઉપર પ્રવચન હતું. પ્રવચન પછી પૂ. પ્રાણ ગુરુદેવે પૂછ્યુ કે બોલો પ્રભાબેન ! તમારે શું કરવું છે ? આ અસાર એવા સંસારમાં રહેવું છે કે પછી સંયમ માર્ગે શાશ્વત સુખ મેળવવા આવવું છે ? પ્રભાબેન પૂ.ગુરુદેવનો સંકેત સમજી ગયાં. તેઓએ તરત જ પ્રત્યુત્ત્।ર આપ્યો કે મારે પણ મારા બહેન પૂ.લીલમબાઈ મ.સ.ના માર્ગે જ જવું છે. બસ,તેઓ વૈરાગ્યના રંગે રંગાઈ ગયાં.જ્ઞાનાભ્યાસમાં જોડાઈ ગયાં.

મનોજ ડેલીવાળાએ જણાવ્યું કે જન્મભૂમિ સાવરકુંડલાની ધન્ય ધરા ઉપર ચૈત્ર વદ,પાંચમ વિ.સં.૨૦૧૫ ના રોજ તપ સમ્રાટ પૂ.રતિલાલજી મ.સા.ના શ્રી મુખેથી કરેમિ ભંતેનો પાઠ ભણી સંયમ અંગીકાર કર્યો.પૂમુકત - લીલમ પરિવારમાં સ્વાધ્યાય અને સેવામાં સામેલ થઈ ગયાં.પૂ.પ્રભાબાઈ મ.સ.એટલે એકદમ ભદ્રિક આત્મા.સરળતા,નિખાલસતા ભારોભાર દેખાય.સેવા અને સ્વાધ્યમય જીવન હતું. પ્રભાબાઈ મહાસતિજી એટલે ભગવાન જેેવા ભોળા તેથી જ તેેઓ 'પ્રભુજી'ના નામથી ઓળખાાતા.

અત્રે ઉલ્લેખનીય છે કે પૂ.લીલમબાઈ મ.સ.એવમ્ પૂ.ઉષાબાઈ મ.સ. જેઓ પૂ.પ્રભાબાઈ મ.સ.ના પિતરાઈ બહેન થતાં.છેલ્લા થોડા સમયથી અશાતાનો ઉદય આવેલ.અશાતામાં પણ તેઓની સહનશીલતા અજોડ હતી.. તેઓએ સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર સહિત અનેક ક્ષેત્રોમાં વિચરણ કરી સ્વ - પરના કલ્યાણમાં નિમિત્ત્। બન્યાં.

રાજકોટ ઐતિહાસિક સમુહ ચાતુર્માસમાં પૂ.પરમ સ્વ મિત્રાજી મ.સ. તથા પૂ.પરમ આરાધ્યાજી મ.સ.એ પૂ.પરમ ગુરુદેવ નમ્રમુનિ મ.સા.સમીપે દીક્ષા અંગીકાર કરેલ.સંયમ મહોત્સવના દરેક કાર્યક્રમમાં પૂ.પ્રભાબાઈ મ.સ.ડુંગર દરબારમાં ઉપસ્થિત રહી સંયમ માર્ગની અનુમોદના કરી પ્રસન્નતા અનુભવતા.

ગોંડલ સંપ્રદાયના અગ્રણી પ્રવિણભાઈ કોઠારી,સી.એમ.શેઠ, ઈશ્વરભાઈ દોશી,સુરેશભાઈ કામદાર તથા દિલીપભાઈ પારેખે સંયુકતપણે જણાવ્યું કે ગુરુણીમૈયા પૂ.પ્રભાબાઈ મહાસતિજી સેવા,સાધના અને સહનશીલતા સાથે શ્રેષ્ઠ જીવન જીવી ગયાં.

(11:56 am IST)