Gujarati News

Gujarati News

News of Thursday, 23rd August 2018

સિવિલ હોસ્પિટલમાં એમઆરઆઇ મશિન બંધઃ દર્દીઓમાં ભારે દેકારો

રોગી કલ્યાણ સમિતીના કાઉન્સેલર જયંત ઠાકરની તબિબી અધિક્ષકને રજૂઆત

રાજકોટ તા. ૨૩: સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે એમઆરઆઇ મશીન છેલ્લા ત્રણ દિવસથી બંધ હોઇ દર્દીઓ હાલાકી વેઠી રહ્યા છે. આ બાબતે રોગી કલ્યાણ સમિતિના કાઉન્સેલર જયંત ઠાકરે તબિબી અધિક્ષક મનિષ મહેતાને રજૂઆત કરી છે.

ઠાકરે લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે ત્રણ દિવસથી એમઆરઆઇ મશીન બંધ છે જેના કારણે દર્દીઓ હાલાકી વેઠી રહ્યા છે. આ દુઃખદ બાબત છે. તાકીદે આ મશીન બાબતે જાણકારી મેળવી રિપેરીંગ કરાવવું જરૂરી છે. રાજકોટ ઉપરાંત સોૈરાષ્ટ્ર ભરમાંથી દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં આવે છે. બહારગામના અનેક દર્દીઓને ધક્કા ખાવા પડે છે. આ મશીન તાત્કાલીક ચાલુ થઇ જાય તેવી કાર્યવાહી કરવા વધુમાં જણાવાયું છે.

(4:23 pm IST)