Gujarati News

Gujarati News

News of Thursday, 23rd August 2018

ધર્મિષ્ઠાબા જાડેજાને કોર્પોરેટર પદે યથાવત રાખવાની માંગ સાથે હજારો વિસ્તારવાસીઓ કોર્પોરેશન કચેરીમાં ઉમટી પડયા

રાજકોટઃ. વોર્ડ નંબર ૧૮ના કોંગ્રેસના મહિલા કોર્પોરેટર ધર્મિષ્ઠાબા જાડેજાને ગેરલાયક ઠેરવવાનો હુકમ મ્યુ. કમિશ્નર દ્વારા કરાયો છે ત્યારે આજે વોર્ડ નં. ૧૮ના હજારો વિસ્તારવાસી ભાઈ-બહેનોએ કોંગ્રેસના નેજા તળે મ્યુ. કમિશ્નરને આવેદનપત્ર પાઠવી અને ધર્મિષ્ઠાબાને કોર્પોરેટર પદે યથાવત રાખવા ઉગ્ર માંગ ઉઠાવી હતી તે વખતની તસ્વીરોમાં ડે. મ્યુ. કમિશ્નર ચેતન નંદાણીને આવેદનપત્ર પાઠવી રહેલા મયુરસિંહ જાડેજા તથા શહેર કોંગ્રેસ પ્રમુખ મહેશ રાજપૂત, પૂર્વ મેયર અશોકભાઈ ડાંગર, પૂર્વ કોર્પોરેટર સતુભા જાડેજા, વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠિયા સહિતના કોંગી આગેવાનો દર્શાય છે. અન્ય તસ્વીરમાં કોર્પોરેશન કચેરીમાં ઉમટી પડેલા વોર્ડ નં. ૧૮ના વિસ્તારવાસીઓ નજરે પડે છે (તસ્વીરઃ અશોક બગથરીયા)(૨-૧૭)

(4:21 pm IST)