Gujarati News

Gujarati News

News of Thursday, 23rd August 2018

રાજકોટ નાગરિક સમિતિ દ્વારા અટલજીને શ્રધ્ધા સુમન અર્પણ કરવા શનિવારે સર્વપક્ષીય સાર્વજનિક પ્રાર્થના સભા

રાજકોટ તા. ૨૩ : ભારતના પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન અટલ બિહારી બાજપેયીને શ્રધ્ધાંજલી અર્પવા રાજકોટમાં શનિવારે સર્વપક્ષીય સાર્વજનીક પ્રાર્થના સભાનું આયોજન નાગરિક સમિતિ દ્વારા કરાયુ છે. તા. ૨૫ ના શનિવારે સાંજે પ થી ૬.૩૦ સુધી કાલાવડ રોડ, નૂનત નગર કોમ્યુનીટી હોલ, રાજકોટ ખાતે યોજાયેલ આ સર્વપક્ષીય પ્રાર્થના સભામાં વિવિધ સમાજના આગેવાનો, જુદા જુદા એસોસીએશનના હોદેદારો, સ્કુલ - કોલેજોના સંચાલકો, શહેરની જાહેર જનતા ઉપસ્થિત રહી અટલજીને શ્રધ્ધા સુમન અર્પણ કરશે.

નાગરિક સમિતિની એક બેઠક તાજેતરમાં મળી હતી. જેમાં સર્વપક્ષીય પ્રાર્થના સભા યોજવા નિર્ણય લેવાયો હતો. સાધુ સંતો, જૈન સમાજ, મોઢ વણિક સમાજ, મુસ્લિમ સમાજ, શીખ સમાજ, વ્હોરા સમાજ, રાજકોટ ચેમ્બર, ગ્રેટર ચેમ્બર, બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય, શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસો., રાજકોટ એન્જી. એસો., હડમતાળા ઇન્ડ. એસો.,  લેઉવા પટેલ સમાજ, કચ્છી ભાનુશાળી સમાજ, શ્રીમાળી સમાજ, સગર સમાજ, બેડીપરા પટેલ સમાજ, પટેલ સોશ્યલ ગ્રુપ, કલબ યુવી, પાટીદાર સમાજ, શરાફી સહકારી મંડળીઓ, રાજકોટ બિલ્ડર્સ એસો., સૌરાષ્ટ્ર કચ્છ ચેમ્બર એસો., સેલ્ફ ફાઇનાન્સ સ્કુલ એસો., રાજકોટ કોલેજ એસો., સૌરાષ્ટ્ર યુીનવર્સિટી, લોહાણા સમાજ, સોની સમાજ, ગોલ્ડ ડીલર્સ એસો., સિલ્વર ડીલર્સ એસો., જેમ્સ એન્ડ જવેલરી એસો., બ્રહ્મ સમાજ, સિંધી સમાજ, બ્રહ્મ સમાજ ભગિની, ક્ષત્રિય સમાજ, શિવસેના, સરગમ કલબ, સરગમ કલબના દાતાઓ, કંસારા સમાજ વગેરે બહળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. પ્રાર્થના સભા માટે રાજકોટ નાગરિક સમિતિના હોદેદારો જહેમત ઉઠાવી રહ્યા છે. (૧૬.૨)

(11:37 am IST)