Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

મનહરપરામાં સોનબાઇબેન મોગલે ફીનાઇલ પી લીધુ

રાજકોટ, તા.૨૩: નવાગામ આવાસ યોજના કવાટરમાં રહેતી મુસ્લીમ પરિણીતાએ મનહરપરા બેડીપરા ફાયરબ્રિગેડ પાસે ફીનાઇલ પી લેતા તેને સારવાર માટે ખસેડાઇ છે.

મળતી વિગત મુજબ નવાગામ આવાસ યોજના કવાટર નંબર ૨૭૪૧માં રહેતી સોનબાઇબેન ઇમરાનભાઇ મોગલ(ઉ.વ.૨૦)રાત્રે મનહરપરા શેરી નં. ૫માં રહેતા તેના પિતાના ઘરે ગઇ હતી બાદ તેણે બેડીપરા ફાગર બ્રિગેડ પાસે ફીનાઇલ પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે. સોનબાઇ બેનના ત્રણ વર્ષ પહેલા લગ્ન થયા હતા તેને સંતાનમાં એક પુત્ર છે તામસી મગજના કારણે ક્રોધમાં આવી ફીનાઇલ પી લીધુ હોવાનું તેણે પોલીસ સમક્ષ જણાવ્યું હતું. આ અંગે થોરાળા પોલીસ મથકના હેડ કોન્સ મગનભાઇએ તપાસ હાથધરી છે.

મયુરનગરમાં મંજુબેન પર છરી વડે હુમલો

ભાવનગર રોડ રાજમોતી મીલ પાસે મયુરનગર મેઇનરોડ મફતીયાપરામાં રહેતી મંજુબેન વીનુભાઇ ચૌહાણ(ઉ.વ.૩૫)રાત્રે પોતાના ઘર પાસે હતો ત્યારે પાડોશી કીરણ બાબુએ ઝધડો કરી છરી વથી મારમારી મોઢા પર ઇજા કરી નાશી ગયો હતો. બાદ મંજુબેનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. આ અંગે થોરાળા પોલીસ મથકના હેડ કોન્સ મગનભાઇએ તપાસ હાથધરી છે.(૨૨.૨)

(3:55 pm IST)