Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

રાજકોટમાં હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થી જય નળિયાપરાનો ઝેરી દવા પી આપઘાત

પરીક્ષાના પરિણામની ચિંતા કે અન્ય કાઈ ? પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટમાં એક વિદ્યાર્થીએ ઝેરી દવા પી આપઘાત કરી લેતાં ચકચાર મચી છે.આ અંગે મળતી વિગત મુજબ  શહેરના મોટામવા ગામે હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતો જય અરવિંદભાઇ નળિયાપરાએ હોસ્ટેલમાં મિત્રોને મળવા જવાનું કહી ઝેરી દવા પી લીધી હતી. જેને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરનાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

  મૃતક જયના પિતા અરવિંદભાઇ મજૂરી કામ કરે છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખેસેડવામા આવ્યો છે. પરિણામની ચિંતા જ મોતનું કારણ છે કે પછી અન્ય કોઇ કારણ જવાબદાર છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. હોસ્ટેલમા દવા પી લીધી હોવાનુ જાણવા મળી રહ્યું છે, હોસ્ટેલમાં મિત્રને મળવા ગયો અને દવા પી લીધી હતી.

(9:49 pm IST)