Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના રપ હજાર વેપારીઓ થ્રી-બી રીર્ટન ૩૧ મે સુધી ભરી શકશે

વેટ ડીપાર્ટમેન્ટે મુદત વધારી દિધીઃ ર૦ એપ્રિલે મુદત પુરી થઇ ગઇ હતી

રાજકોટ તા. રપ :.. ગુજરાતના વેટ તંત્રે એક મહત્વનો નિર્ણય લઇ થ્રી-બી રીર્ટન ભરવાની મુદત ૩૧ મે સુધી કર્યાનો મહત્વનો પરીપત્ર ઇસ્યુ કરી તે પ્રમાણે કાર્યવાહી કરવા, રાજકોટ વેટ તંત્રના તમામ ઘટકો - ડીવીઝનોને સુચના આપી છે.

આ પરીપત્રને કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના રપ હજારથી વધુ વેપારીઓને હાશકારો થયો છે, રાહત મળી છે.

વેપારીઓએ થ્રી-બી રીટર્ન દર મહિને  ભરવાનું હોય છે, ગત માર્ચ સુધીનું રીટર્ન ભરવામાં અનેક કારણોસર રપ હજાર વેપારીઓને અસર થઇ હતી, જેની છેલ્લી તારીખ ર૦ એપ્રિલ હતી, તે મુદત હવે વધારી ૩૧ મે કરી નખાયાનું સુત્રોએ ઉમેર્યુ હતું.

(3:17 pm IST)