Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

જીવનનગરમાં શિવકથાનો આરંભ

 રૈયા રોડ, બ્રહ્મસમાજ પાસે, જીવનનગર વિકાસ સમિતિ દ્વારા રામેશ્વર મહાદેવના સાનિધ્યમાં શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયુ છે. શિવભકત અલ્કાબેન પંડયાના નિવાસ સ્થાનેથી પોથીયાત્રાનો પ્રારંભ થઇ મંડપ સ્થળે પહોંચી હતી. મંદિરના સહપૂજારી જેન્તીભાઇ જાનીએ  પૂજન કરાવી સ્થાપન કરાવ્યુ હતુ. વિજયભાઇ જોબનપુત્રા, નવીનભાઇ પુરોહીતે સમગ્ર વ્યવસ્થા સંભાળી સામુહીક આરતીમાં લોકોને આવકારી સ્વાગત કરેલ. પૂ. કાલીચરણબાપુએ શિવકથાનું મહાત્મ્ય સરળ શૈલીમાં સમજાવેલ. પોથીયાત્રામાં ગીતાબેન જોબનપુત્રા, શોભનાબેન ભાણવડીયા, કલ્પનાબેન દવે, અલ્કાબેન પંડયા, જયોતિબેન પુજારા, જયાબેન શાપરીયા, ભારતીબેન રાવલ, પ્રફુલ્લાબેન બોરીચા, રેખાબેન વાઢેર, કુસુમબેન ચૌહાણ, ભારતીબેન ગંગદેવ, સુનિતબેન  વ્યાસ, મીતાબેન વાછાણી, આશાબેન મજેઠીયા, ગીતાબેન મકવાણા, હર્ષાબેન પંડયા, નયનાબેન ઉપાધ્યાય, કવિતાબેન દવે, આરતીબેન ભટ્ટ, ભકિતબેન ખખ્ખર, જયશ્રીબેન વ્યાસ, ભદ્રાબેન ગોહેલ, જયશ્રીબેન મોડેસરા, વર્ષાબેન ભટ્ટ, સરોજબેન ભટ્ટ, ગીતાબેન જોબનપુત્રા, મીનાબેન, પુનમબેન, વિજયાબેન, શારદાબેન, દક્ષાબેન, બીનાબેન, વિણાબેન, પારૂલબેન, વસંતબેન, રક્ષાબેન, પાર્વતીબેન, નેહાબેન, ભાવનાબેન વગેરે સહીત સોસાયટીના લતાવાસીઓ જોડાયા હતા. સમિતિના નવીનભાઇ પુરોહીત, વિનુભાઇ ઉપાધ્યાય, ગોવિંદભાઇ ગોહેલ, વી. સી. વ્યાસ, પાર્થ ગોહેલ, પંકજભાઇ મહેતા, અંકલેશ ગોહિલ, ભુપેન્દ્રભાઇ ભટ્ટ, નયનેશ ભટ્ટ, જેન્તીભાઇ જાની, શૈલેષભાઇ પુજારા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:02 pm IST)