Gujarati News

Gujarati News

News of Monday, 23rd March 2020

રાજકોટમાં હોમ કોરોન્ટાઇન કરાયેલા લોકોના ઘરે જઈ તપાસ કરતા મ્યુનિ. કમિશનર

રાજકોટ, તા.24 :  કોરોનાના સંક્રમણ સામે લેવાઈ રહેલા વિવિધ પગલાઓના ભાગ રૂપે વિદેશથી આવેલા લોકોને હોમ કોરોન્ટાઇન કરવામાં આવે છે. મ્યુનિ. કમિશનર શ્રી ઉદિત અગ્રવાલે આજે ન્યુ જાગનાથ પ્લોટ વિસ્તારમાં  આવા જ બે પરિવારોના ઘરની રૂબરૂ મુલાકાત લઈ તપાસ હાથ ધરી હતી. જેમાં કોરોન્ટાઇન કરાયેલા લોકો તેમના ઘરમાં જ જોવા મલ્યા હતા.  પ્રશાસનને નાગરિકો તરફથી મળી રહેલા સહયોગ બદલ કમિશનરશ્રીએ કોરોન્ટાઇન થયેલા લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

(6:31 pm IST)