Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

સમસ્ત ખાંટ રાજપૂત સમાજ દ્વારા રામનવમીએ રાજકોટથી મેવાસા સુધી બાઈકરેલી

મેવાસાના ભકત શ્રી રામબાપાના સ્મરણાર્થે આયોજનઃ ૧૫૦ બાઈક અને ૧૦ ફોર વ્હીલર જોડાશેઃ ઈચ્છુકોએ નામ નોંધાવી દેવા

રાજકોટ, તા.૨૩: સમસ્ત ખાંટ રાજપૂત સમાજ રાજકોટ દ્વારા રામનવમી ઉત્સવ અંતર્ગત ભવ્ય બાઈકરેલીનું રાજકોટથી મેવાસા સુધી આયોજન મેવાસાના ભકત શ્રી રામબાપાના સ્મરણાર્થેકરેલ છે.

 

આ બાઈક રેલી તા.૨૫ને રવિવાર (રામનવમી) સવારે ૭ કલાકે રાજકોટ સમસ્ત ખાંટ રાજપૂત સમાજ જ્ઞાતિ પ્રગતિ ભવન, નહેરૂ નગર આહિર ચોક, થી કોઠારીયા સોલવન્ટ, શાપર- વેરાવળ, દાળીયા, લુણીવાવ, બેટાવડ, ખંડ વંથલી, હરમડીયા, ઉમરાણી થઈને મેવાસા શ્રી રામબાપાની જગ્યા મુકામે સંપન્ન થશે. આ બાઈક રેલીમાં ૧૫૦ બાઈક અને ૧૦ ફોરવ્હીલ જોડાશે. આ બાઈક રેલીમાં જોડાવા માંગતા ખાંટ રાજપૂત સમાજના સર્વે ભાઈઓને આમંત્રણ પાઠવાયું છે.

આ રેલીમાં જોડવવા ઈચ્છુકોએ વી.સોલંકી (મો.૯૬૨૪૭ ૪૪૯૧૦) ગોપાલ બી.ઝાલા (મો.૯૫૩૭૧ ૩૮૧૧૬) નો સંપર્ક કરવા યાદીના અંતમાં જણાવાયું છે.(૩૦.૧૨)

(4:13 pm IST)