Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

મુસ્લીમ સમાજના હઝરત જમાલ રઝા સાહેબનું આવતીકાલે રાજકોટમાં આગમન

મેહુલનગરમાં મિલાદ શરીફ અને શુક્રવારે જંગલેશ્વરમાં જુમ્માની નમાઝ

રાજકોટ તા.૨૩: સૌરાષ્ટ્રના સુન્ની મુસ્લીમ સમાજના પીરેતરીકત, આબરૂએ રઝવીયત રહેબરે શરીઅત, હમ શબીએ-નવાસએ હુઝુર મુફતીએ આઝમે હિન્દ હઝરત જમાલ રઝા સાહેબનું આવતી કાલે રાજકોટમાં આગમન થનાર છે.

હઝરત જમાલ રઝા સાહેબ આવતીકાલે બપોરે દોઢ વાગ્યે રાજકોટમાં મેહુલનગર મેઇન રોડ, નીલકંઠપાર્કમાં રહેતા હાજી શમશુદ્દીનભાઇ જમાલીના ઘરે પહોંચશે અને મગરીબની નમાઝબાદ શાનદાર મહેફીલે મિલાદ શરીફનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

ત્યારબાદ પરમદિવસે શુક્રવારે જંગલેશ્વર અંકુર સોસાયટીમાં મસ્જીદે નશીમ ખાતે જુમ્માની નમાઝ પઢાવશે તેમ હાજી શમસુદીનભાઇ (મો.૮૮૪૯૨ ૧૬૧૨૬) એક યાદીમાં જણાવાયુ છે.

(3:55 pm IST)