Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

સલમાન ખાને લાગણી દુભાય તેવા શબ્દો ટીવી શોમાં બોલતાં વાલ્મિકી સમાજમાં રોષઃ રાત્રે પોસ્ટરો ઉતરાવાયાઃ પોલીસ બંદોબસ્ત વચ્ચે રાજકોટમાં 'ટાઇગર જીંદા હૈ' ફિલ્મ દર્શાવાઇ

રાજકોટઃ બોલીવૂડના દબંગ સલમાન ખાન સાથે વિવાદો કોઇને કોઇ રીતે જોડાયેલા રહે છે. તાજેતરમાં તેણે એક ટીવી શોમાં વાલ્મિકી સમાજ વિશે લાગણી દુભાય તેવા શબ્દો બોલ્યા હોઇ આજથી રિલીઝ થયેલી તેની ફિલ્મ 'ટાઇગર જીંદા હૈ' નો દેશભરમાં વાલ્મિકી સમાજે વિરોધ કર્યો હતો. દિલ્હીમાં તો આ મામલે ફરિયાદ પણ નોંધાવાઇ હતી. દરમિયાન ગત રાત્રે રાજકોટના વાલ્મિકી સમાજના લોકોએ ગેલેકસી, આર વર્લ્ડ (ધરમ) ટોકિઝ ખાતે પહોંચી સલમાન ખાનની ફિલ્મની રિલીઝ સામે વાંધો ઉઠાવી સુત્રોચ્ચાર કરી પોસ્ટરો ઉતરાવ્યા હતાં. જાણ થતાં પોલીસ પહોંચી હતી અને ફરિયાદ-લેખિત રજૂઆત કરી વિરોધ દર્શાવવા તેમજ આ મામલે થિએટરમાં કોઇ માથાકુટ નહિ કરવા સમાજના લોકોને સમજાવતાં મામલો થાળે પડ્યો હતો. જો કે આજે ફરીથી વિરોધ થશે તેવો ભય સિનેમા હોલના સંચાલકોએ વ્યકત કરતાં પોલીસ બંદોબસ્ત હેઠળ એક થા ટાઇગર ફિલ્મના શો દર્શાવાયા હતાં. (ફોટોઃ અશોક બગથરીયા)

(12:40 pm IST)