Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

જામનગર-વડોદરા ઇન્‍ટરસિટી ૨૭ નવેમ્‍બર સુધી રદ

રાજકોટ, તા. રરઃ પヘમિ રેલવેના અમદાવાદ-વિરમગામ રેલ સેક્‍શન વચ્‍ચે સાણંદ અને ગોરા ઘુમા સ્‍ટેશનો (DFCCIL) વચ્‍ચે કનેક્‍ટિવિટી પૂરી પાડવા માટે કરવામાં આવી રહેલા કામને કારણે જામનગર-વડોદરા-જામનગર ઇન્‍ટરસિટી એક્‍સપ્રેસ ટ્રેનો તાત્‍કાલિક અસરથી ૨૭મી નવેમ્‍બર, ૨૦૨૨ સુધી રદ રહેશે.

     રાજકોટ ડિવિઝનના સીનિયર ડીસીએમ શ્રી અભિનવ જેફના જણાવ્‍યા મુજબ, ટ્રેન નંબર ૨૨૯૬૦ જામનગર-વડોદરા ઇન્‍ટરસિટી એક્‍સપ્રેસ ૨૩ થી ૨૭ નવેમ્‍બર, ૨૦૨૨ સુધી રદ રહેશે. તેવી જ રીતે, ટ્રેન નંબર ૨૨૯૫૯ વડોદરા-જામનગર ઇન્‍ટરસિટી એક્‍સપ્રેસ ૨૨ થી ૨૬ નવેમ્‍બર, ૨૦૨૨ સુધી રદ રહેશે.

        ટ્રેનોના સ્‍ટોપેજ અને સમય વિશે વિગતવાર માહિતી માટે મુસાફરો કળપા કરીને www.enquiry.indianrail.gov.in   ની મુલાકાત લઈ શકે છે.

(4:02 pm IST)