Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

પતિની મિલ્‍કતોના વેચાણ અંગે કોર્ટનો સ્‍ટેટસ્‍કવો

રાજકોટ,તા. ૨૨ : ત્‍યકતા પત્‍નીએ પતિની મિલ્‍કતો વેંચાણ થતા અટકાવવા યથાવત સ્‍થિતીનો હુકમ મેળવેલ છે.

રાજકોટ તાલુકાના કોઠારીયા ગામના રહેવાસી એવા ધનીબેન રમેશભાઇ નકુમ તથા તેમના પુત્ર હિરેનભાઇ રમેશભાઇ નકુમે તેઓના પતિ તથા પિતા એવા રમેશભાઇ ગગજીભાઇ નકુમ કે જેઓએ સદરહું ધનીબેન તથા પોતાના જ સંતાનોનો કોઇ પણ જાતના કારણ વગર ત્‍યાગ કરીને અન્‍યસ્ત્રી સાથે લગ્ન કરીને તેના થકી પણ સંતાન પણ છે અને બીજી બાજુ ધનીબેન તથા તેમના પુત્ર હિરેનભાઇ નકુમે રાજકોટની દિવાની અદાલતમાં તેઓની રાજકોટ તાલુકાના કોઠારીયા ગામની ખેતીની જમીન, રહેણાંકના મકાન તથા વાંકાનેર તાલુકાના કોટડા નાયાણીની ખેતીની જમીનો સદરહું રમેશભાઇ ગગજીભાઇ નકુમ અન્‍ય ત્રાહીતને વેંચાણ કે તબદિલ ન કરે તેવા મનાઇ હુકમની માંગણી કરતી અરજી તથા દાવો દાખલ કરેલે જેમાં કોર્ટ સ્‍ટેટસ્‍કવોનો હુકમ કરેલ છે.

આ કામમાં ધનીબેન રમેશભાઇ નકુમ તથા હિરેનભાઇ નકુમ વતી ધારાશાષાી અભિષેક ગઢીયા તથા હિતેષ હળવદીયા રોકાયેલા હતા.

(3:31 pm IST)