Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

'માતાને તમારી સાથે કેમ રાખો છો' કહી પ્રભાબેન ગોહેલ પર જેઠ નરશીનો હુમલો

ભુપગઢ ગામની સીમમાં બનાવઃ જેઠ નરશી ગોહેલ સામે ગુનો

રાજકોટ, તા.૨૨: ભુપગઢ ગામમાં રહેતા રજપૂત વૃધ્ધાને 'મારી 'મા'ને તમારી સાથે શું કામ રાખો છો' કહી જેઠએ લાકડી વડે માર માર્યાની ફરીયાદ આજીડેમ પોલીસ મથકમાં થઇ છે.

મળતી વિગત મુજબ ભુપગઢ ગામમાં રહેતા રજપૂત વૃધ્ધા પ્રભાબેન બચુભાઇ ગોહેલ (ઉ.વ.૬૦) ગઇકાલે ગઢડીયા રોડ પર આવેલી પોતાની વાડીએ કામકાજ માટે ગયા હતા અને ત્યાં તે પશુઓને પાણી પીવડાવતા હતા તે દરમ્યાન તેનો જેઠ નરશી ધરમશીભાઇ ગોહેલ બાઇક પર આવ્યો હતા. અને વૃધ્ધા પાસે આવી બોલાચાલી કરી ઝઘડો કરવા લાગ્યો હતો.   'તમે મારી 'મા' કેશરબેનને કેમ તમારી સાથે રાખો છો' તેમ કહી ગાળો આપતા વૃધ્ધાએ ગાળો આપવાની ના પાડતા જેઠ નરસીએ ઉશ્કેરાઇ જઇ લાકડી વડે માર મારી જમણા હાથની આંગળીના ભાગે ઇજા કરી ભાગી ગયો હતો. બાદ વૃધ્ધાએ તેના પતિને ફોન કરી જાણ કરતા પતિ સહિતના પરિવારજનો દોડી આવ્યા હતા  અને ૧૦૮ મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. આ અંગે પ્રભાબેને આજી ડેમ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા એએસઆઇ પી.એચ.દીક્ષીતે તપાસ હાથ ધરી છે.

(3:20 pm IST)