Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

રેલનગરમાં આવાસના કવાર્ટરમાં બીહારના રેણુબેનનુ બેભાન થઇ જતા મોત

રાજકોટ, તા.૨૨: રેલનગરમાં સુભાષચંદ્ર આવાસ યોજના કવાર્ટરમાં રહેતી બીહારી મહિલાનું બેભાન હાલતમાં સારવાર દરમ્યાન મોત નીપજયુ હતું. મળતી વિગત મુજબ રેલનગર સુભાષચંદ્ર આવાસ યોજના કવાર્ટર નં.પીસી/૧૨માં રહેતા રેણુબેન કુસુમભાઇ જાદવ (ઉ.વ.૩પ) છેલ્લા ઘણા સમયથી માનસિક બીમાર હોઇ, તેથી ગઇકાલે તે પોતાના ઘરે બેભાન થઇ જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નીપજયુ હતું. આ અંગે પ્રનગર પોલીસ મથકના એએસઆઇ તૃષાબેન બુહા તથા રાઇટર આનંદભાઇએ કાર્યવાહી કરી છે.

(3:00 pm IST)