Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

પ્રેમમંદિર પાસે વીર શહીદ હમીરસિંહજી ગોહીલ પ્રતિમા મુકાશેઃ સન્માન

રાજકોટઃ છેલ્લા ઘણા સમયથી ક્ષત્રીય સમાજ દ્વારા રાજકોટમાં વીર શહિદ હમીરસિંહજી ગોહીલની પ્રતિમા મુકવામાં આવે તે બાબતની રજુઆત મહાનગરપાલીકાના પદાધીકારીઓને કરી હતી. આ વખતે જનરલ બોર્ર્ડમાં ભાજપના પદાધીકારીઓ દ્વારા આ માંગણીને મંજુર કરી વોર્ડનં.૧૦ ખાતે પ્રેમમંદીરથી આગળ ચંદ્રશેખર આઝાદ ગાર્ડન પાસે શહીદ વીર હમીરસિંહ ગોહીલની પ્રતિમા મુકવાનો નિર્ણય કરતા અને આ સર્કલનું નામ શહીદ વીર હમીરસિંહજી ગોહીલ આપવાનું નકકી કરાતા ક્ષત્રીય સમાજના ધર્મેન્દ્રસિંહ ઝાલા (પીન્ટુભાઇ ખાટડી) સહિતના  આગેવાનોએ સાંસદ મોહનભાઇ કુંડારીયા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મેયર બીનાબેન આચાર્ય, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ ઉપપ્રમુખ દિવ્યરાજસિંહ ગોહીલ, વીરેન્દ્રસિંહ ઝાલા, ડે. મેયર અશ્વીન મોલીયા, નેતા દલસુખ જાગાણી, દંડક અજય પરમાર, મહાનગર પાલીકા સમાજ કલ્યાણ ખાતાના ચેરમેન આશીષ વાગડીયાનું સાફો પહેરાવી સન્માન કરવામાં આવેલ હતુ. સુખદેવસિંહ ઝાલા, નરેન્દ્રસિંહ ઝાલા, જે.પી. જાડેેજા, રાજવીરસિંહ ઝાલા, ભરતસિંહ જાડેજા, યોગરાજસિંહ જાડેજા, દશરથસિંહ જાડેજા અને રાજભા જાડેજા સહિતના ક્ષત્રીયસમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.

(4:11 pm IST)