Gujarati News

Gujarati News

News of Monday, 22nd May 2023

વેલનાથ સોસાયટીમાં ૧૪ વર્ષની માનસી ડવનો ફાંસો ખાઇ આપઘાત

રાજકોટ તા. ૨૨: આજીડેમ ચોકડી ખોખડદળ નજીક વેલનાથ સોસાયટીમાં રહેતી ૧૪ વર્ષની માનસી ભરતભાઇ ડવએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી.

બનાવની જાણ થતાં આજીડેમ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. માનસીએ પંખામાં ચુંદડી બાંધી દેહ લટકાવી દીધો હતો. તેના પિતા ડ્રાઇવીંગ કરતાં હોઇ તે બહારગામ હોઇ જાણ કરવામાં આવતાં રાજકોટ આવવા રવાના થયા હતાં. માનસી ધોરણ-૯માં ભણતી હતી અને બે બહેન તથા એક ભાઇમાં વચેટ હતી. માનસિક અસ્‍વસ્‍થતાને કારણે આ પગલુ ભર્યાનું પ્રાથમિક તપાસમાં જણાવાયું હતું. કારણ જાણવા પોલીસે તપાસ યથાવત રાખી છે. દિકરીના આ પગલાથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(4:34 pm IST)