Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

પરાપીપળીયામાં રાતે ફરી બે વખત દિપડાના ડોકીયાઃ સરપંચ, આગેવાનો અને ગ્રામજનોનો ચોકી પહેરો

ફોરેસ્ટ અધિકારીઓએ ટીમ સાથે પહોંચી તપાસ શરૂ કરી

રાજકોટઃ જામનગર રોડ પર આવેલા પરાપીપળીયામાં પરમ દિવસે દેવાયતભાઇ કાનાભાઇ આહિરના વાડામાં વાછરડીનું મારણ થયું હતું. પગલાના નિશાન જોતાં દિપડાએ મારણ કર્યાનું જાણકારોએ તારણ કાઢ્યું હતું. ફોરેસ્ટ વિભાગને સરપંચશ્રી વિક્રમભાઇ અરજણભાઇ હુંબલે જાણ કરતાં અધિકારી શ્રી ડાંગરા તથા ટીમે આવી તપાસ શરૂ કરી હતી. ગત આખી રાત સરપંચ, આગેવાનો તથા ગામના યુવાનોએ ચોકી પહેરો કર્યો હતો. એ વખતે દૂર ઉભા પાક વચ્ચે બે વખત દિપડા જેવા જનાવરે ડોકીયા કર્યાનું યુવાનોએ નિહાળ્યું હતું. લાઇટના શેરડા કરતાં આ જનાવર દેખાયાનું કહેવાયું છે. આજે પણ ફોરેસ્ટ અધિકારીઓ દિપડાના સગડ મેળવવા કામે લાગ્યા હોવાનું સરપંચ વિક્રમભાઇએ જણાવ્યું હતું.

(2:15 pm IST)