Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

હત્યાનો ભોગ બનનારા રાજેશના દાદાને ડીસીપી મનોહરસિંહએ પાણી પીવડાવ્યું

રાજકોટઃ માણેકવાડાના વણકર યુવાન રાજેશની હત્યામાં ન્યાયની માંગણી સાથે દલિત સમાજના આગેવાનો હોસ્પિટલ ચોકમાં પહોંચ્યા હતાં અને ચક્કાજામ કર્યા હતાં. ડીસીપી મનોહરસિંહ જાડેજા, ડે. કલેકટર શ્રી પંડ્યા સહિતે આગેવાનોને સમજાવ્યા હતાં. આગેવાનો લાખાભાઇ સાગઠીયા, વશરામભાઇ સાગઠીયા, નરેશ સાગઠીયા સહિતે ૨૪ કલાકમાં માંગણીઓ નહિ સ્વીકારાય તો ગુજરાતભરમાં ચક્કાજામ કરવામાં આવશે તેમ જણાવી હાલ તુર્ત ચક્કાજામ પુરા કર્યા હતાં અને જ્યાં સુધી માંગણીઓ ન સ્વીકારાય ત્યાં સુધી લાશ નહિ સંભળાય તેવો નિર્ણય કર્યો હતો. આ વખતે ડીસીપી મનોહરસિંહ જાડેજાએ હત્યાનો ભોગ બનેલા યુવાન રાજેશના દાદાને પાણી પીવડાવી શાંત પાડ્યા હતાં (ફોટોઃ સંદિપ બગથરીયા)

(4:21 pm IST)