Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

વિશાલ કગથરાનું અવસાન થતા ટંકારા, પડધરી, મોરબી પંથકમાં ભાજપ વિજય સરઘસ નહિ કાઢેઃ મોહનભાઇ કુંડારીયા

રાજકોટના વિજય સરઘસ અંગે વિજયભાઇ રૂપાણી અંતિમ નિર્ણય લેશે

રાજકોટ, તા., રરઃ પડધરી, ટંકારાના કોંગ્રેસના ધારાસભ્ય અને રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલીતભાઇ કગથરાના પુત્રનું તાજેતરમાં અકસ્માતમાં અવસાન થતા ઘેરો છવાઇ ગયો છે. ત્યારે પડધરી, ટંકારા, મોરબી પંથકમાં ભાજપના ઉમેદવાર મોહનભાઇ કુંડારીયા વિજયી થાય તો તેમનું વિજય સરઘસ નહિ કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આવતીકાલે લોકસભા બેઠકની મત ગણત્રી હાથ ધરવામાં આવનાર છે. ત્યારે તેમાં ભાજપના ઉમેદવાર મોહનભાઇ કુંડારીયા જીતી જાશે તો ટંકારા, પડધરી, મોરબી પંથકના ભાજપના આગેવાનો કાર્યકરો દ્વારા વિજય સરઘસ કાઢવામાં નહિ આવે તેમ ભાજપના ઉમેદવાર મોહનભાઇ કુંડારીયાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

મોહનભાઇ કુંડારીયાએ વધુમાં જણાવ્યું હતું કે ટંકારા-પડધરી-મોરબી ભાજપ સંગઠન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે રાજકોટ શહેરમાં વિજય સરઘસ સાથે ઉજવણી કરવી કે નહિ? તે અંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અંતિમ નિર્ણય લેશે.

(3:37 pm IST)