Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

રાજકોટના મનીષ વાઘેલાનું મૃત્યુ

રેલ્વે સ્ટેશન ઉપર બેભાન થઇ જતા : સબંધીને મળવા ભાવનગર ગયો હતો

ભાવનગર તા ૨૨ : ભાવનગરના રેલ્વે સ્ટેશન પર બેભાન થઇ જતા રાજકોટના યુવાનનું મોત નિપજયુ હતુ.

વિગતો મુજબ રાજકોટના ચામુંડા સોસાયટીમાં રહેતા મનીષભાઇ કેશુભાઇ વાઘેલા ઉ.વ.૪૮ઙ્ગઙ્ગપરિવાર સાથે  ભાવનગર રહેતા સબંધી લીલાધરભાઇ ને ઘેર આવ્યા હતા અને પરત રાજકોટ જવા ભાવનગર ઓખા ટ્રેનમાં જયાં રેલ્વે સ્ટેશને આવ્યા હતા ત્યારે પ્લેટફોર્મ ઉપર મનીષભાઇ એકાએક બેભાન થઇપડી જતા તેને બેભાન હાલતે અત્રેની સરકારી હોસ્પીટલે ખસેડાયેલ જયાં ફરજ પરના ડોકટરે તપાસી મૃત જાહેર કરેલ આ અંગે રેલ્વે પોલીસ વધુ તપાસ ચલાવી રહે છે.

(11:52 am IST)