Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

રજવાડી ગ્રુપ દ્વારા રવિવારે સમુહલગ્ન

આજે રાત્રે લોકડાયરામાં બ્રીજદાન ગઢવી અને રૂપલ ગોસ્વામી જમાવટ કરશેઃ ૧૩ નવયુગલો પ્રભુતામાં પગલા પાડશેઃ કરીયાવરમાં દીકરીઓને ૬૦ થી વધુ વસ્તુઓ અપાશે

રાજકોટ,તા.૨૨: રજવાડી ગ્રુપ દ્વારા આગામી તા.૨૪ના રવિવારે રૈયારોડ ઉપર પ્રમુખ સ્વામી ઓડીટોરીયમની બાજુમાં આવેલા મેદાનમાં સર્વજ્ઞાતિય સમુહલગ્નનું આયોજન કરવામાં આવેલ છે. આ નિમીતે આજે રાત્રે આયોજીત લોકડાયરામાં બ્રિજદાન ગઢવી અને રૂપલબેન ગોસ્વામી સાહિત્યરસ પીરસશે. સમુહલગ્નના લાભાર્થે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સર્વજ્ઞાતિય સમુહલગ્નોત્સવમાં ૧૩ નવયુગલો પ્રભુતામાં પગલા પાડશે. કરીયાવરમાં દીકરીઓને ફ્રીઝ, ટીવી, વોશીંગ મશીન, ફર્નિચર સહિત ૬૦ થી વધુ વસ્તુઓ આપવામાં આવશે. ઘરઆંગણે જે રીતે પ્રસંગ ઉજવાય તે જ રીતે ઉજવવામાં આવશે. આ અંતર્ગત આવતીકાલે દાંડીયારાસ પણ રાખવામાં આવેલ છે.

આયોજનને સફળ બનાવવા રજવાડી ગ્રુપના શ્રી મનિષભાઈ પ્રજાપતિ (મો.૯૯૦૯૯ ૪૦૪૦૪), હરેશભાઈ પ્રજાપતિ, પ્રફુલભાઈ લાવડા, હસમુખભાઈ ચાંડેગરા, રક્ષીતભાઈ કલોલા, અજયસિંહ જાડેજા, પરેશભાઈ સખીયા, હાર્દિકસિંહ જાડેજા, શહેર ભાજપ વિજયભાઈ વાંક, પ્રદેશ કોંગ્રેસ મંત્રી મયુરસિંહ જાડેજા, શહેર ભાજપ લઘુમતિ મોરચાના પ્રમુખ હારૂનભાઈ શાહમદાર વિ.જહેમત ઉઠાવી રહ્યા છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:36 pm IST)