Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

સ્વદેશી મંચ દ્વારા સ્નેહમિલન

 સ્વદેશી જાગરણ મંચ, રાજકોટ દ્વારા ભારતીય નૂતનવર્ષ સ્નેહમિલન કાર્યક્રમ જ્ઞાનગંગા વિદ્યાપીઠ ખાતે જ્ઞાનગંગા વિદ્યાપીઠનાં મે. ટ્રસ્ટી અને કાર્યક્રમના અધ્યક્ષ વિનોદભાઇ સિંહારે દિપ પ્રાગટય કરી કાર્યક્રમ ખુલ્લો મુકેલ. શ્રીમતિ ગીતાબેન દવેએ શાંતિ પ્રાર્થના રજૂ કરેલ. મંચ ઉપર મણિભાઇ કડીયા, યોગેશભાઇ ભટ્ટ, પશ્ચિમ ક્ષેત્ર કાર્યવાહક રમેશભાઇ દવે, ભાગ સંયોજક ગીરીશભાઇ કરમટા તથા વિનોદભાઇ પેઢડિયા ઉપસ્થિત રહેલ. કાર્યક્રમને સફળ બનાવવા રાજુભાઇ કકકડ, હરેશભાઇ સોઢા, છબીલભાઇ હીરાણીએ જહેમત ઉઠાવેલ હતી.

(4:25 pm IST)