Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

વિશ્વ જળ દિવસ

પીતા આવડે તો અમૃત છે, નહી તો ઝેર છે ''પાણી''

સમગ્ર વિશ્વમાં 'વર્લ્ડ વોટર ડે' દર વર્ષે ૨૨માર્ચના દિવસે મનાવવામાં આવે છે. ઈ.સ. ૧૯૯૪માં સંયુકત રાષ્ટ્ર સંઘની સાધારણ સભાએ ૨૨માર્ચને વિશ્વ જળ દિવસ તરીકે જાહેર કરેલ છે. પાણી પીતા આવડે તો એ અમૃત છે. પણ પીતાં ન આવડે તો એ ઝેર છે. પાણીએ જીવનનું અણમૂલું દ્રવ્ય છે. શરીરના બાંધામાં ઉપયોગી ગણાતા મુખ્ય પાંચ માંહેનુંએ એક દ્રવ્ય છે. જેમ શરીરને જીવંત રાખવા માટે પાણી એક મુખ્ય અંગ છે. તેમ જ શરીરમાં અનેક દર્દો ફેલાઈ મૃત્યુને આરે પહોંચાડનાર પણ પાણી જ છે, જો તે શુદ્ધ ન હોય તો.

આ દિવસ ઉજવવા પાછળનો હેતુ લોકોને પાણી બચાવવા માટે પ્રેરણા આપવાનો તેમજ પાણીને વેડફાતુ અટકાવવાનો છે. પાણી વિનાની સજીવ કે નિર્જીવ સૃષ્ટિ પૃથ્વી પર કે સમુદ્રમાં કે હવામાં કે પરમાણુંમાં ટકી શકે તેમ નથી. જીવન ટકાવવા માટેની મુખ્ય ત્રણ જરૂરિયાતો હવા, પાણી અને ખોરાક છે રોજ બરોજની વપરાશમાં આપણે જે પાણી વાપરીએ છીએ તે ઘન, પ્રવાહી અને વાયુ એમ ત્રણ સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે.

સામાન્ય તાપમાને પાણી પ્રવાહી સ્વરૂપે હોય છે. જેનો આપણે રોજીંદા જીવનમાં ઉપયોગ કરીએ છીએ, જયારે પાણીને૦ સે. તાપમાને પાણી ઉકળે છે અને તેનું વરાળમાં રૂપાંતર થાય છે, વરાળએ પાણીનું વાયું સ્વરૂપ છે.

આપણે સૌ આજથી આપણાથી પાણી બચાવવાની શુભ શરૂઆત કરીએ, પૈસા, ધનએ બધુ તો બાળકો માટે તેનું કરીશું પણ તેને જીવવા માટે પાણી નહીં હોય તો તેના અસ્તિત્વનું પણ જોખમ છે. (૧) રોજ કપડા ધોવાને બદલે બે દિવસે ભેગા કરીને ધોવાનું વિચારો જેથી વેસ્ટ પાણીને અન્ય કામો જેવા કે જાજરૂ સાફ કરવામાં પાણી ઉપયોગ લઈ શકાય., (૨) નાહવાની ડોલમાં ટબની સાઈઝ નાની રાખીએ જેથી પાણીનો મહત્તમ ઉપયોગ કરી શકીએ., (૩) ઘરે પધારેલ મહેમાનોને નાના ગ્લાસમાં પાણી આપી શકાય, પૂછીને આપવું, જગથી આપવું જેથી સાફ પાણી ફેંકી ન દેવું પડે., (૪) બ્રશ કે દાઢી કરતી વખતે ગેંડીનો નળ ચાલુ ન રાખવો, પાણી ભરેલ ટમ્બલર રાખો., (૫) પીવાના પાણીના માટલા પાસે, પાણિયારા પાસે ડોલ મૂકી વધારાનું પાણી ગટરમાં જવા દેવાનો બદલે ડોલમાં નાખો જે પાણી પોતું કરવામાં, બગીચામાં વૃક્ષોને પાવા માટે પામશે., (૬) ઉનાળામાં બે- ત્રણ વખત સ્નાન કરવાને બદલે સ્પંજ કરો., (૭) કાર, સ્કૂટર ધોવાને બદલે ભીના પોતાંથી સાફ કરો, પાણીની નળીથી ગાડી સાફ કરો નહીં., (૮)સંડાસમાં ઘણા લોકો પાણીની નળી મુકી દેતા હોય છે, સેફટી ટેન્ક સાફ કરવાના હેતુથી તે નુકશાનકર્તા છે., (૯) ટપકતા નળોને તાત્કાલીક રીપેર કરાવવા એક નળમાંથી એક દિવસના અંતે અઢાર લીટર પાણીનો વ્યય થાય છે. મોટાભાગના ફલેટમાં આ સમાધાન થતા નથી., (૧૦) ખેતી વાડીમાં ખુલ્લા ધોરીયાથી પિયત કરવાને બદલે ડ્રીપ ઈરીગેશન કે અનડર ગ્રાઉન્ડ પાઈપ પાથરીને ખેતીમાં પાણીનો ઉપયોગ કરવો., (૧૧) વરસાદના પાણીને સામુહિક બધા જ સાથે મળીને બોર, કુવા કે ભૂગર્ભ ટાંકાઓ પાણીથી ભરીએ, વહી જતા પાણીને જમીનમાં ઉતારીએ., (૧૨) પીવાના પાણીને ઉકાળીને જંતુ રહિત કરવું પછી જ પીવા માટે ઉપયોગમાં લેવું., (૧૩) ગટરના પાણીને ખુલ્લા ન છોડતા ભૂગર્ભ પાઈપ લાઈને અથવા સોસ ખાડા કે હજમ બનાવી નકામાં પાણીને જમીનમાં ઉતારીએ., (૧૪) આર.ઓ.મશીનના વેસ્ટ પાણીનો અન્ય કામોમાં ઉપયોગ કરો., (૧૫) શાવરને બદલે બાલ્ટી ભરીને નહાવાથી ૮૦ ટકા પાણી બચે છે. દેશના ૨૦ ટકા લોકો આમ કરશે તો દરરોજ ૬૨૫ કરોડ લિટર પાણી બચશે., (૧૬) જમવામાં ઓછા વાસણોનો ઉપયોગ કરો, યુઝ એન્ડ થ્રો ડીસો વાપરો, જરૂરીયાત હોય ત્યાં., (૧૭) પાણીને 'રીયુઝ' ફરી ઉપયોગમાં આવે તેવા પ્રયત્નો કરવા., (૧૮) મકાન ધોવા માટે પાણીની નળીને બદલે પોતું વાપરી પાણીને બચાવીએ., (૧૯) દરેક ઘરે પાણીના મીટર હોવા જોઈએ જેથી જરૂરીયાત પુરતો જ ઉપયોગ કરે અને કરકસર કરવાની ઈચ્છા થાય., (૨૦) મોટી મોટી ફેકટરીને ઉભી કરતા પહેલા ચેક ડેમો બનાવે, પાણીનો સંગ્રહ હશે તો ઉપયોગ કરી શકાશે. (૨૧) નદીના શુદ્ધ પાણીને બચાવીએ, ઘર વપરાશના પાણીનો નિકાલ સાઈડમાં ગટરો બનાવી પસાર કરીએ, જેથી સાદુ પાણી ખરાબ ન થાય., (૨૨) સાડી ઉદ્યોગના કારખાનાઓ કે કેમિકલ વાળા કારખાનાઓ વેસ્ટ પાણી બહાર કાઢે છે તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ. લોકોએ સંગઠીત થઈ વિરોધ કરતા શીખવું પડશે. આમ ઉપરોકત બાબતોને જીવનમાં એક યા બીજા પ્રકારે અમલ કરવાનો પ્રયત્ન કરીએ.

' પાણીને બચાવો, પાણી તમને બચાવશે'

બિપીનકુમાર નાથાલાલ માકડીયા

રાજકોટ, મો.૯૪૨૭૨ ૩૮૨૪૨

(11:50 am IST)