Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd February 2023

વાહન અકસ્‍માતના જુદા- જુદા ૧૬ કેસોમાં ૬ માસની સજા, કુલ ૭૫ લાખનું વળતર મંજૂર

રાજકોટ,તા.૨૨: વાહન અકસ્‍માતના અલગ-અલગ બનાવથી બનેલ કુલ ૧૬ અકસ્‍માતના કેસોમાં માત્ર ને માત્ર ચાર થી છ માસમાં કુલ રૂ.૭૫ લાખનું વળતર મંજૂર કરાવવામાં આવ્‍યું છે.

રાજકોટમાં યોજાયેલી મેગા લોક અદાલતમાં વાહન અકસ્‍માતના અલગ-અલગ કુલ ૧૬ કેસો મુકવામાં આવ્‍યા હતા. જેમાં અકસ્‍માતમાં અવસાન પામનારના વારસદારોને તેમજ ઈજા પામનારને ક્‍લેઇમ ટ્રિબ્‍યુનલ રાજકોટમાં લોકઅદાલતમાં વળતર મંજૂર કરવામાં આવ્‍યું હતું. જેમાં રાજકોટના યુવા વકીલ મહેશભાઇ સિંધવ અને તેમની સાથે જોડાયેલ સાકેતભાઈ મોરડીયાએ મૃતકોના વારસદારોને તેમજ ઇજા પામનારને ઝડપી વળતર તેમજ ન્‍યાય મળે તે માટે રાજકોટમાં સર્જાયેલ મેગા લોકદાલતમાં માત્ર ૪ થી ૬ માસમાં કેસ પૂર્ણ કરી અરજદારોને વળતર અપાવેલ છે.જેના વળતરની રકમ ટ્રિબુનલ રાજકોટમાં લોક અદાલતમાં ચારથી છ માસના ટુકાગાળામાં મંજૂર થયેલી છે. આમ આ કેસોમાં રાજકોટ ટ્રિબ્‍યુનલ તરફથી લોકઅદાલતમાં જંગી વળતરથી કેસ પૂરા કરવામાં આવેલ જે તમામ રકમ વીમા કંપની તરફથી અરજદારોને ચૂકવવામાં આવશે.

ઉપરોકત વળતરના કલેઇમ કેસમાં અરજદારો વતી રાજકોટના યુવા વકીલ મહેશભાઈ એમ. સિંધવ અને તેમની સાથે સાકેતભાઈ મોરડીયા રોકાયા હતા.

(4:31 pm IST)