Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd February 2023

ભોમેશ્વર રેનબસેરામાં બીમારીથી વૃધ્‍ધા રેણુકાબેનનું મોત

રાજકોટ,તા. ૨૨ : ભોમેશ્વર રેનબસેરામાં રહેતા રેણુકાબેન (ઉવ.૬૦) ગઇ કાલે રેનબસેરામાં હતા. ત્‍યારે બીમારીના લીધે તેની તબીયત લથડતા તેને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા. ત્‍યાં તેનું સારવાર દરમ્‍યાન મોત નિપજ્‍યું હતું. આ બનાવની જાણ થતા પ્રનગર પોલીસ મથકના હેડ કોન્‍સ. સોનલબેને કાર્યવાહી કરી હતી. જો કોઇ આ વૃધ્‍ધાના સગાસંબંધી હોય તો પ્રનગર પોલીસ મથક ફોન નં. ૦૨૮૧-૨૪૪૬૦૫૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. (૨૨.૪૨)

(4:20 pm IST)