Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

ટીમ ઈન્દ્રનીલ ફોર યુ દ્વારા શિવ શોભાયાત્રાનું સ્વાગત

રાજકોટ તા.૨૨ : સમસ્ત દશનામ ગોસ્વામી સમાજ દ્વારા શહેરના બે સ્થળોએ શિવ રથયાત્રાનું આયોજન થયુ હતું.  પૂર્વ ધારાસભ્ય શ્રી ઇન્દ્રનીલભાઈ રાજગુરુની રાહબરી અને માર્ગદર્શન હેઠળ ટીમ ઇન્દ્રનીલ ફોર યુ દ્વારા આ બંને શોભાયાત્રાનું લોધાવાડ ચોક ખાતે તેમજ બ્રહ્મસમાજ ચોક ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવેલ. ભાવિકોને પાણી વિતરણ કરેલ.

આ તકે પૂર્વ ધારાસભ્ય શ્રી ઇન્દ્રનીલભાઈ રાજગુરુએ જણાવેલ કે સમસ્ત ગોસ્વામી સમાજદ્વ્રારા તેમના ઇષ્ટદેવ અને દેવોના દેવ મહાદેવની આ શિવ શોભાયાત્રા યોજી સમસ્ત હિંદુ ધર્મના પ્રચાર-પ્રસાર કરવા તેમજ આપણી હિંદુ ધર્મની પરંપરા જીવંત રાખવા આ ભગીરથ કાર્ય કરી પ્રયત્ન કરી રહ્યા છે. લોધાવાડ ચોક ખાતે વશરામભાઈ સાગઠીયા,ઠાકરશીહભાઈ ગજેરા, સુરેશભાઈ ગરૈયા,હારૂનભાઈ ડાકોર, ધર્મિષ્ઠાબેન મહેતા, જયાબેન ટાંક, અભિષેકભાઈ તાળા, ઇન્દુભા રાવોલ, વૈશાલીબેન શીંદે, ક્રષ્ણદતભાઈ રાવળ, શૈલેશભાઈ દામજીભાઈ રૂપાપરા, ગુણવંતભાઈ ભરાડ, શૈલેશભાઈ મહેતા, બાબાભાઈ ગુડલક, યુનુશભાઈ (જયહિન્દ), મુસરફ્ભાઈ રાઉમા, સલીમભાઈ કારીયાણી, જીતુભાઈ ઠાકર, શૈલેષભાઈ ટાંક, વિભાભાઈ આહિર, ગીરીશભાઈ, હસમુખભાઈ ગોસ્વામી, દર્શનભાઈ ગોસ્વામી, પ્રકાશભાઈ રાવરાણી જયાબેન ચૌહાણ, કંચનબેન વાળા, હિતાક્ષીબેન વડોદરીયા,  અનીતાબેન સોની,  વહીદાબેન ગાંજા,  બીબીબેન જુમાણી,  જુબેદાબેન અજમેરી, તારાબેન સુરાણી, હમીદાબેન હોત, રુક્ષાબેન કુરેશી.તેમજ બ્રહ્મસમાજ ચોક ખાતે ટીમ ઇન્દ્રલ ફોર યુ ના ભરતભાઈ આહિર અને રાજુભાઈ શેઠ દ્વ્રારા આયોજન કરવા માં આવેલ જેમાં વિજયભાઈ નકુમ,  હરિભાઈ નકુમ,  અરવિંદભાઈ પરમાર,  પ્રકાશભાઈ પરમાર,હર્ષદભાઈ નકુમ, પીયુશભાઇ સતવારા, વિજયભાઈ સતવારા, ભાવેશભાઈ પરમાર, જીતુભાઈ, દીલીપભાઈ સહિતના હાજર રહેલા.

(3:29 pm IST)