Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

રતનપરના કનકસિંહે ધંધાકીય મંદીને લીધે રાજકોટમાં ઝેરી ટીકડી પી લીધી

રજપૂતપરામાં પોતાના ચાના થડે પગલુ ભર્યુઃ સારવારમાં

રાજકોટ તા. ૨૨: મોરબી રોડ પરના રતનપરમાં રામધામ સોસાયટી-૭માં રહેતાં કનકસિંહ અભેસિંહ વાઘેલા (ઉ.વ.૬૦)એ રાતે સાડા બારેક વાગ્યે રાજકોટ રજપૂતપરા-૬માં પોતાના ચાના થડા પર હતાં ત્યારે ઝેરી ટીકડી પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

કનકસિંહને સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. પોતે રાજકોટ રજપૂતપરામાં ચાનો થડો ધરાવે છે. પરિવારજનોના કહેવા મુજબ હાલમાં ધંધાકીય મંદી હોઇ તેનાથી કંટાળીને આ પગલુ ભર્યાની શકયતા છે. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂએ એ-ડિવીઝનમાં જાણ કરી હતી.

(1:03 pm IST)