Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

છત્રપતિ શિવાજી ટાઉનશીપમાં શહીદોને શ્રધ્ધાંજલિ

 રેલનગર છત્રપતિ શિવાજી ટાઉનશીપના રહેવાસીઓએ પુલવામાના શહીદોને શ્રધ્ધાંજલિ આપવા ભારતમાતાની તસ્વીર સામે દિપ પ્રગટાવી ભારત માતા કી જયના નારા લગાવી શહીદોને શ્રધ્ધાંજલિ આપી હતી. તમામ રહેવાસીઓ અને બાળકો પણ તેમાં જોડાયા હતાં. આ ઉપરાંત ફુલ નહિ તો ફુલની પાંખડી મુજબ બધાએ રોકડ ફંડ  આપ્યું હતું તે રકમ એકઠી કરી શહીદોના પરિવારના લાભાર્થે અર્પણ કરવામાં આવી હતી. ટાઉનશીપના પ્રમુખ લોકનાથ પાંડે, ઉપપ્રમુખ રમેશભાઇ ચોૈહાણ, મંત્રી મુકુંદરાય જાની, ખજાનચી નિશાબેન મારૂ , કમિટી મેમ્બર શાસ્ત્રી હાર્દિકભાઇ ભોગાયતા તેમજ કમિટી સભ્યો અને સોસાયટીના રહેવાસીઓ તસ્વીરમાં જોઇ શકાય છે.

 

(3:06 pm IST)