Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ - નોર્થ દ્વારા રવિવારે સર્વરોગ નિદાન - રકતદાન કેમ્પ

ત્રિવેણી સંગમ કાર્યક્રમમાં ખોડલધામ ટ્રસ્ટના હોદ્દેદારોનું પણ સન્માન

રાજકોટ, તા. ૨૨ : શ્રી સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ રાજકોટ નોર્થ દ્વારા આગામી તા.૨૫ના રવિવારે ત્રિવેણી સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે.

શ્રી સરદાર પટેલ ભવન (ખીજડાવાળો રોડ, પાણીના ટાંકાની સામે, માલવીયાનગર, પોલીસ સ્ટેશનવાળી શેરી) ખાતે ૨૫મીના સવારે ૭:૩૦ થી ૧૨:૩૦ દરમિયાન સર્વરોગ નિદાન કેમ્પ, રકતદાન કેમ્પ (રેડક્રોસ અને સિવિલના લાભાર્થે) યોજાશે. સાથોસાથ ખોડલધામ ટ્રસ્ટના હોદ્દેદારોનું સન્માન પણ કરવામાં આવશે.

આયોજનને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ છગનભાઈ બાંભણીયા (મો.૯૮૨૪૪ ૨૫૩૧૩), સેક્રેટરી જયસુખભાઈ ડોબરીયા (૯૮૭૯૮ ૨૦૨૦૨), જયેશભાઈ દુધાત્રા, ચેતનભાઈ અસોદરીયા, જયંતિભાઈ કાનાણી, વૃજલાલ સખીયા, સુરેશભાઈ સખીયા, રાજેશભાઈ ભૂત, હસમુખભાઈ અકબરી, ભીખાભાઈ પટેલ વિ. જોડાયા છે.

(4:07 pm IST)