Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

કુંડલીયા કોલેજમાં ૪૪મો વાર્ષિંકોત્સવ

 રાજકોટઃ શ્રીમતી જે.જે.કુંડલિયા આર્ટસ, કોમર્સ એન્ડ બી.બી.એ.કોલેજમાં ટીવાયબીએ, બીકોમ, બીબીએના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ તથા વાર્ષિકોત્સવમાં કોલેજના પ્રિન્સીપાલ ડો.યજ્ઞેશભાઈ જોષીએ મહેમાનોનું સ્વાગત કરેલ. આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડીકેટ સભ્ય ડો.હરદેવસિંહ જાડેજા, ડો.ધરમભાઇ કાંબલીયા અને કોલેજના ટ્રસ્ટી ડો.અલ્પનાબેન ત્રિવેદીએ પ્રવચન કરેલ. રાષ્ટ્રીય કક્ષાએ ભાગલેનાર ૨૩ વિદ્યાર્થીઓને શીલ્ડ, ટ્રેકસુટ તથા રોકડ પુસ્કાર ઉપરાંત ૨૩થી વધુ વિદ્યાર્થીઓને રૂ.૪૬,૦૦૦ની સ્કોલરશીપ આપવામાં આવી હતી. પીપલ્સબેન્ક ચેરમેન શામજીભાઈ ખૂંટ, પ્રિન્સીપાલ રાજુભાઈ વ્યાસ, અબ્બાસભાઈ લાખા ઉપસ્થિત રહેલ. કાર્યક્રમનું સંચાલન ડો.અમીબહેન દવેએ આભારવિધિ પ્રા.સોનલબહેન નેનાએ તેમજ કાર્યક્રમને સફળ બનાવવા પ્રા.હરીશરાબા, ડો.સ્મીતા બહેન ઝાલા, ડો.રાજુભાઈ ટાંચક, સહિતના શૈક્ષણિક બિનશૈક્ષણિક સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

(4:07 pm IST)