Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

પૂ. આ.કે.સી મ.સા.નું ભવ્ય સામૈયુઃ બાલ-દીક્ષાર્થીનો જાજરમાન વર્ષીદાન વરઘોડો

શ્રી મણીયાર દેરાસરજીએ શનિવારે : રાજકોટ જૈન તપગચ્છ સંઘના આંગણે સુવર્ણ અવસર

રાજકોટ, તા. ૨૨ : શનિવારે તા.૨૪ના રોજ શ્રી મણીયાર દેરાસરજીએ પ. પૂ. આચાર્યદેવ શ્રી કુલચંદ્રસુરીશ્વરજી મ. સા. (શ્રી કે. સી. મહારાજ સાહેબ) પધારશે. પૂજયશ્રીનું સ્વાગત સામૈયુ ડોકટ પ્લાઝા બિલ્ડીંગ કોઠારી પરીવારના આંગણેથી સવારે ૭:૧૫ વાગ્યે શરૂ થશે.

આ સામૈયા સાથે રાજકોટના પનોતા પુત્ર મુમુક્ષ શ્રી સૌરવકુમાર શાહનો વર્ષીદાનનો વરઘોડો શ્રી રાજકોટ જૈન તપગચ્છ સંઘ તરફથી રાખવામાં આવેલ છે. આ શુભ પ્રસંગે પરમ પૂજય આચાર્યદેવ શ્રી યશોવિજયજી મહારાજ સાહેબ પણ પધારશે.

આ સુવર્ણ અવસરના સહભાગી થવા શ્રી સંઘના દરેક ભાઈ - બહેનોને શ્રી સંઘ તરફથી ભાવભર્યુ આમંત્રણ આપવામાં આવે છે.

(3:58 pm IST)