Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

પૂ.શ્રી ઈન્દુબાઈ મ.સ. તીર્થધામમાં સોનલ સદાવ્રત સમારોહ સંપન્ન

સૌરાષ્ટ્રના સિંહણ તીર્થસ્વરૂપા વચ્ચન સિદ્ધિકા : બારમાસી મસાલાનું વિતરણ

રાજકોટ, તા. ૨૨ : ગો. સંપ્ર.ના સૌરાષ્ટ્રના સિંહણ બા. બ્ર. પૂ. શ્રી ઈન્દુબાઈ મહાસતીજી તીર્થધામમાં આજે સવારે બાર માસી મસાલાનું વિતરણ સુધાબેન કનુભાઈ બાવીશી તરફથી હતું તથા ભાવનાબેન રોહિતભાઈ શાહ તરફથી હતું. સાધર્મિકોનું ચા સાથે નાસ્તો પછી કનુભાઈ બાવીશીના હાથે મસાલનું વિતરણ કરવામાં આવેલ હતું. આ પ્રસંગે દિપકભાઈ, રાજુભાઈ, અતુલભાઈ આદિ સમગ્ર બાવીશી પરીવાર હાજર રહી અનુમોદના કરેલ હતી. તથા આર. આર. બાવીશી પરીવાર તરફથી પણ છાશની અનુમોદના કરાઈ હતી. બિંદુબેને સ્નેહભરી શ્રદ્ધાંજલી અર્પણ કરેલ હતી. કાર્યક્રમનું સંચાલન નિલેશભાઈ શાહે કરેલ હતું.

છેલ્લા ૧૭ વર્ષ થયા માનવ રાહતનું કાર્ય સુંદર રીતે વિનામૂલ્યે ચાલુ છે. દર વીસ તારીખે ગરીબને દવાનું દાન, સુદ્ધ સામાયીકનું સમૂહ આયોજન થાય છે. પૂ. મોટા સ્વામીના પ્રભાવથી એક એકથી ચડીયાતુ વિતરણ દરેક સીઝનને અનુરૂપ સાધર્મિકોને અપાવે છે. સીનીયર સીટીઝનના ફોર્મ ચાલુ થઈ ગયેલ છે. જયેશભાઈ માવાણી, પ્રદિપભાઈ માવાણી તથા સોનલ સેવા મંડળે સેવા બજાવી હતી.

(3:57 pm IST)